Khetidekho

ઉનાળુ મગફળી ની વૈજ્ઞાનિક ખેતી

ઉનાળુ મગફળી ની વૈજ્ઞાનિક ખેતી

મગફળી નું લેટીન નામ એરેચીસ હાઈપોજીયા છે. તેનું કુળ લેગ્યુમેનેશી છે. કૃષિ પાકોમાં તેલીબીયા પાકોનું આગવું સ્થાન છે. વિશ્વમાં અન્ય દેશોની  સરખામણીમાં ભારત મગફળીના વિસ્તાર (૪૨ ટકા) અને કુલ ઉત્પાદન (૩૬ ટકા) માં પ્રથમ સ્થાને છે. દેશમાં સૌ પ્રથમ મગફળીનું વાવેતર તામિલનાડુ રાજયમાં શરૂ થયું હતું. ભારતમાં મગફળી થતી હોય તેવા પ્રદેશનો ૭૮ ટકા વિસ્તાર ગુજરાત, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવે છે. જેમાંથી ૮૭ ટકા  ઉત્પાદન મળે છે.

 

દેશમાં મગફળીના કુલ ઉત્પાદન માં ૩૦ ટકા જેટલો ફાળો ગુજરાત નો રહ્યો છે. ગુજરાતના કુલ ઉત્પાદનમાં સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાઓ (જુનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર) નું યોગદાન ૮૬ ટકા જેટલું રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, બનાસકાઠા, વડોદરા, ભરૂચ, વલસાડ, ડાંગ, કચ્છ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત અને સુરેન્‍દ્રનગર જીલ્લાઓમાં પણ મગફળીનું વાવેતર ઘીરે ધીરે વધી રહ્યું છે.

જમીન :

મગફળીના પાકને મધ્યમ કાળી, ગોરાડુ, બેસર અને રેતાળ જમીન વધુ માફક આવે છે. 

ગોરાડુ કાળી જમીન

જમીનની તૈયારી :

ટ્રેક્ટરથી કે હળથી ઉંડી ખેડ કરી અગાઉના પાકના જડિયા, મૂળીયા વીણી બે વખત કરબથી આડી-ઉભી ખેડ કરી સમાર મારી જમીન પોચી, ભરભરી અને સમતળ બનાવવી.

વાવણી સમય:

બીજનો દર:

હેકટર દીઠ જરૂરી છોડની સંખ્યા (૩ થી ૩.૫ લાખ) જાળવવા માટે હેક્ટરે ૧૦૦થી ૧૨૦ કિ.ગ્રા. મગફળીના બિયારણનો ઉપયોગ કરવો.

બીજ માવજત :

ખાતર:

  • પાયા નું ખાતર : હેક્ટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર નાંખી ટ્રેક્ટરની દાંતી મારી જમીન માં  ભેળવીવું. 
  • રાસાયણિક ખાતર :- જમીન નું પૃથ્થકરણ કરાવી ભલામણ મુજબ રાસાયણિક ખાતર તથા સુક્ષ્મ તત્વો આપવા વધારે હિતાવહ છે. મગફળી વાવતા પહેલા હેક્ટરે ૨૫ કિલો નાઈટ્રોજન ૫૦ કિલો ફોસ્ફરસ યુક્ત ખાતરો ચાસમાં પ થી ૧૦ સે.મી. ઉડે ઓરીને જમીનમાં આપવા.  મગફળીમાં કેલ્શિયમ પોડ ફોરમેશન માટે તથા  સલ્ફર તેલના બાયો સીન્‍થેસીસ માટે ખાસ જરૂરી છે. સામાન્ય રીતે મગફળીના પાકને હેક્ટરે ૪૦ કિ. ગ્રા. ગંધકની જરૂરિયાત રહે છે. આ માટે જમીનની પરિસ્થિતિ પ્રમાણે  હેક્ટરે આશરે ૫૦૦ કિલો જિપ્સમ આપવું જરૂરી છે. જમીનમાં જસત તથા લોહતત્વની ઉણપ વર્તાય તો હેક્ટરે અનુક્કો ઝીંક સહ્કેટ ૨૫ કિ. ગ્રા. તથા ફેરસ સલ્ફેટ પ૦ કિ. ગ્રા. મુજબ પાયામાં આપી શકાય . પોટાશ ની ઉણપ વર્તાય તો હેકટરે ૨૫ થી ૩૦ કિ ગ્રા આપી શકાય.

પિયત:

પાક ના ઉત્પાદન માં વધારો કરનાર પરિબળો માં બીજા નંબરે પિયત છે જેનો ફાળો ૨૭ ટકા જેટલો છે . ઉનાળુ મગફળી માં પિયત નો આધાર જમીનના પ્રકાર, વિસ્તાર અને હવામાન ઉપર રહેલ છે. ઉનાળુ મગફળીમાં વિસ્‍તાર મુજબ ૭ થી ૧૫ પિયત આપવાની જરૂરિયાત રહે છે. પ્રથમ પિયત વાવણી બાદ તુરંત આપવું અને બીજું પિચત  ૧૦ દિવસે આપવું. જયારે બાકીના પિયત ૧૨ થી ૧૫ દિવસના અંતરે આપવા. પાકની કટોકટીની અવસ્થા જેવી કે ફૂલ આવવા, સુયા જમીનમાં ઉતરવા, ડોડવા  બેસવા અને ડોડવામાં દાણાના વિકાસ સમયે ભેજની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી.

આંતર પાક :

શંકર બાજરી ,તુવેર , શંકર કપાસ ,તલ, શાકભાજી  તરીકે ધાણા મેથી લઇ શકાય .

Ref . ડો . કે .એ .શાહ (નવસારી કૃષિ યુનિવર્સીટી)