Khetidekho

ટ્રાઇકોડર્માં(વિરીડી) વિશેની સંપૂર્ણ માહિતી

 

 

(ટ્રાઇકોડર્માં વિરીડી) નો ખોરાક મગફળી, કપાસ, બાજરો, જીરૂ, તલ, ડાંગર, શેરડી, તમાકુ, તુવેર, એરંડા, ડુંગળી, ઘઉં, ચણા, લસણ, જુવાર, મકાઈ, ટામેટા, રીંગણ, કુલેવર, કોબીજ, ગુવાર, મરચી, બધાજ શાકભાજી, આંબા, લીંબુ, દાડમ, કેળ, બોર, જમરૂખ, ચીકુ, આમળાં, વગેરે બાગાયતી પાકો, તરબુચ, ટેટી, કોળું વગેરે વેલાવાળા પાકો અને બીજા પાક મા જમીન માંથી આવતી દરેક ફૂગ ના કારણે થતા બધાજ રોગો ને ખાવાનો છે, એટ્લે કે આ ફૂગ બીજી ફૂગ ને અને રોગો જેવા કે છોડ મૂળ માંથી સુકાઈ જાય, ધરું બળી જાય, મૂળ કોહવાય જાય, છોડ પીળો પડી જાય, બીજ જમીન માં હડી જાય, બીજ ઉગી ને બળી જાય, છોડ નો વિકાસ નો થાય, વગેરે રોગ અને રોગ ના જેનાથી થઇ છે તેને ખાઈ જાય છે.

જેથી આપણો પાક તંદુરસ્ત રહે છે ને સારુ ઉત્પાદન મળે. લાંબા સમય સુધી તે અસરકારક રહે છે અને જૈવિક પ્રોડક્ટ વાપરવાથી જમીન, છોડ, પર્યાવરણ, માણસ કોઈ પણ નુક્શાન કરતું નથી, ખરીદવામાં સસ્તુ હોય છે. ટ્રાઇકોડર્માં વિરીડી ફૂગ જે ફૂગ કુદરતી હોય છે.તેને પ્રયોગશાળા મા તૈયાર કરવામાં આવે છે.

ટ્રાઇકોડર્મા વિરીડી વાપરવા માટે ની ખેડૂતો માં રહેલ માન્યતાઓ

  1. ઘણા ખેડૂતો ના મનમાં હોય કે આ બેક્ટેરિયા છે, પણ આ બેકટેરિયા નથી, આ એક ફૂગ  છે. ફૂગ અને બેક્ટેરિયા માં જમીન આસમાન નો ફરક છે. આ ફૂગ કુદરતી હોય છે અને બીજા રોગ ની ફૂગ ને ખાય છે. 
  2. ટ્રાઇકોડર્મા વિરીડી વાપર્યા પછી રાસાયણિક ખાતર સાથે, બીજી બિયારણ ને પટ આપવા માટે વપરાતી  દવા, વગેરે સાથે વપરાય નહિ નકર આ ફૂગ મરી જાય. આ માન્યતા ખોટી છે. ટ્રાઇકોડર્મા વિરીડી આપણે સારું કોહવાચલું દેશી ખાતર માં વાવતા પેલા ૧૫ થી ૨૦ દિવસ પેલા ભેળવી તેમાં પાણી છાંટી દેવાનું અને ભેજ જાળવી રાખીએ એટલે તેનો વિકાસ ખુબ જ થાય છે. ટ્રાઇકોડર્મા વિરીડી નાં એક કણ માંથી હજારો-લાખો ટ્રાઇકોડર્મા વિરીડી નાં કણ બની જાય છે ને જયારે વાવો ત્યારે આ ખાતર નાખવાનું હોય છે. એટલે દેશી ખાતર માં ટાઇકડર્મા વિરીડી ને વિકસવા માટે નો ખોરાક મળી રહે છે. એટલે વાંધો નાં આવે. રાસાયણિક ખાતર સાથે, બીજી બિચારણ ને પટ આપવા માટે થતી દવા, વગેરે નો સંપર્ક ખાસ કઈ થતો નથી.

રેતી સાથે ટ્રાઇકોડર્મા વિરીડી વાપરવી જોઈએ કે નહિ?

 

રેતી દિવસે ખુબજ તપીને ગરમ થઇ જાય અને રાતે તરત જ ખુબજ ઠંડી થઇ જાય છે. રેતી નો ઉપયોગ એટલેજ તો સોલાર પેનાલ બનાવવામાં થઇ છે. અને ટ્રાઇકોડર્મા વિરીડી જીવતી ફૂગ છે એટલે એને જીવવા માટે ખોરાક ની જરૂર પડે . રેતી માં ટ્રાઇકોડર્મા વિરીડી ને ખોરાક મળતો નથી, ટ્રાઇકોડર્મા વિરીડી ને મૂળ મુકવા માટે રેતી કઠણ પડે. રેતી ગરમ થઇ જાય એટલે ટાઇકોડ્મો વિરીડી મરી જાય.   

 

રેતી માં ટ્રાઇકોડર્મા વિરીડી ના એક કણ માંથી હજારો કણ થતા નથી એટલે રેતી સાથે નહિ પણ દેશી છાણીયા ખાતર સાથે અથવા લીંબોળી ના ખોળ અથવા દિવેલા ના ખોળ સાથેજ ભેળવવી જેથી પૂરો ફાયદો મળે. જયારે પાક મોટો થઇ જાય અને આપણી પાસે સમય ના હોય તો રેતી સાથે નખાય. રેતી વજન દાર હોય જેથી તે છોડ ના મૂળ સુધી પહોંચાડે. મગફળી જેવો પાક મોટો થઇ જાય અને છોડ ની હાર એક બીજા માં ઘસવાઈ જાય છે અને જમીન દેખાતી નથી ત્યારે જમીન સુધી પહોંચાડવા  માટે રેતી સાથે ટ્રાઇકોડર્મા વિરીડી અપાય. બાકી તો દેશી ખાતર સાથેજ આપવુ. 

પાણી સાથે આપી શકાય કે નહિ?

ટ્રાઇકોડર્મા વિરીડી પાણી સાથે પણ આપી શકો છો. જયારે પાક ને પેલું પિયત આપવાનું હોય ત્યારે પાણી સાથે આપી શકો છો. વીધે ૧ કિલો જાય તે રીતે આપી શકો છો. અને દવા છાંટવાના પંપ થી પણ આપી શકો. પંપ ની. આગળ ની નોજલ કાઢી ડાયરેક્ટ છોડ ના મૂળ માં જાય તે રીતે આપી શકો છો. 

પાક વાવીને પછી ક્યારે ક્યારે આપવું ટ્રાઇકોડર્મા વિરીડી???

  • વાવણી સાથે દેશી છાણીયા ખાતર સાથે આપવું જોઈએ આ રીત સૌથી સારી ને ઉતમ રીત છે.
  • વાવ્યા પછી ૧ થી ૧૦ દિવસ દરમ્યાન પાછળથી પણ દેશી છાણીયા ખાતર સાથે આપી શકો છો.
  • પેલા પાણી સાથે પણ આપી શકાય
  • પમ્પ થી પણ છોડ ના મૂળમાં રેડી શકો
  • છોડ ખુબ મોટા થઇ જાય પછી રેતી સાથે
  • છોડ ની દરેક અવસ્થાએ આપી શકાય પણ શરૂઆત માં આપો તો ખુબજ ફાયદો થાય. પાણી પેલા પાળ બંધાય. છેલ્લે પણ આપી શકો છો.
  • ટપક પદ્ધતિ  અને ફુવારા પદ્ધતિ દ્વારા પણ આપી શકો છો 1 વીધે કિલો આપવું

ક્યાં મળે આ ટ્રાઇકોડર્મા વિરીડી???

  1. કૃષિ યુનિવર્સીટી – ગુજરાત માં આવેલ કૃષિ યુનિવર્સીટી માંથી
  2. જીસ્ટ્રેશન ધરાવતી, માન્ય કોઈ પણ કંપની માંથી 

આ ટ્રાઇકોડર્મા વિરીડી નો ભાવ શું હોય???

૭૦ રૂપિયાથી લઇ ને ૧૦૨૦ રૂપિયા સુધી મળે છે. એટલે સારી ગુણવતા વાળી આ ટ્રાઇકોડર્મા વિરીડી લેવી. તમને જ્યાંથી અનુકળ પડે ત્યાંથી પણ સારી મળે એવી લેવી. 

ખાસ નોંધ:

  1. ટ્રાઇકોડર્માં વિરીડી જીવંત કૂગ છે. એટલે એને ભેજ ની જરૂર પડે  છે જીવંત રહેવા અને તેની વૃદ્ધિ કરવા માટે એટલે ભેજ નાં હોય તો વાપરવી નહિ.
  2. એક વાર લીધા પછી એક વર્ષ સુધી ટ્રાઇકોડર્માં વિરીડી વાપરી શકાય છે. પણ સારી જગ્યામાં રાખી ને મુકવું જોઈએ

સોર્સ : લાલજી ઈટાલીયા સાહેબ