Khetidekho

નવા જન્મેલ વાછરડા ની સાર સંભાળ

  • વાછરડું એ આવતી કાલની ગાય છે. તંદુરસ્તીની દ્રષ્ટિએ ગાય-ભેંસ વર્ગનો જીવન કાળ બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલા ર૪ કલાક તથા ત્યારબાદનો સમય.
  • વાછરડાના જીવનકાળના પહેલા ૨૪ કલાક એટલા મહત્વના છે કે જેની ખુબ જ અસર પાછળના જીવન કાળ પર પડે છે.
  • પહેલા ર૪ કલાકમાં જો વાછરડાની પૂરતી કાળજી લેવામાં ન આવે તો રોગ નો ભોગ બને છે. અથવા સારા વારસાગત ગુણો હોય તથા સારું વાતાવરણ પૂરું પાડવા છતાં તે કાયમી નબળું રહે છે અને સારો દેખાવ કરી શકતું નથી.
  • વાછરડાના મૃત્યુ નું બીજું કારણ ઝાડા છે, જેનું મેનેજમેન્ટ તેટલું જ મહત્વનું છે. જેથી તેનું કારણ જાણી સારવાર આપી સાજું કરવું પડે.
  • આ બાબતોને ધ્યાને રાખી આ વિભાગમાં નીચે મુજબના ભાગનો સમાવેશ કરેલ છે. 

    અ. નવા જન્મેલા વાછરડાની સાર-સંભાળ  બ. વાછરડામાં ઝાડા અને તેની સારવાર

અ. નવા જન્મેલા વાછરડાની સાર-સંભાળ

  • ખુબજ મહત્વના કલાક : તાજા જન્‍મેલા વાછરડાની આખી જિંદગીમાં વિયાણ બાદનો પહેલો કલાક ખુબજ મહત્વનો છે.
  • નાક  અને મોઢું સાફ કરવું, જે વાછરડાના શ્વાસોશ્વાસ માં મદદરૂપ થાય છે તથા ભવિષ્યમાં શ્વાસોશ્વાસની મુશ્કેલી અટકાવે છે.
  • માતાને તેનું વાછરડું ચાટવા દો અને ચોખ્ખુ કરવા દો. જે વાછરડાના  શરીરમાં લોહી નું ભ્રમણ વધારે છે અને વાછરડા ને ઉભા થવા તથા ચાલવા માટે તૈયાર કરે છે.
  • વાછરડાના ડુટાની શરૂઆતથી ર ઇંચનું અંતર રાખીને ચોખ્ખા સાધન દ્રારા ચાટવાની પ્રક્રિયા વાછરડાને ઉભા થવામાં મદદ કરે છે. બાકીનો ભાગ કાપી નાખો. 
  • ડુટાને ટીંચર આયોડીન ના ૩.૫% અથવા વધારે દ્રાવણ માં ડુબાડો (ફક્ત ટીંચર આયોડિનનું રૂ નું પૂમડું લગાવવાથી કામ પૂર્ણ થતું નથી.) ઓછામાં ઓછું ૩૦ સેકન્ડ સુધી ડુબાડી રાખો. ખુલ્લા રહેલા ભાગને સ્વચ્છ દોરીથી બાંધી દો. ૧૨ કલાક પછી ડુટાને ફરી ડૂબાડો. (આંચળની ડીપ તથા ઓછા ટીંચર આયોડિનવાળું દ્રાવણ વાપરવું નહીં.) ડુટાની અપૂરતી સંભાળને કારણે  ચેપ લાગી શકે છે.
  • તાજા જન્મેલા બચ્ચાને જન્મના બે કલાક ની અંદર ર લીટર ખીરું /કોલોસ્ટ્રમ પીવડાવવું જોઈએ તથા ૧-૨ લીટર (સાઈઝ પ્રમાણે) ૧૨ કલાકની અંદર ફરીથી આપવું જોઈએ.
  • ઘણા વાછરડાંઓને તેમની માતા તરફથી વિયાણ ના થોડા કલાકમાં પૂરતું ખીરું /કોલોસ્ટ્રમ મળતું નથી તેથી તેઓને રોગ પ્રતિકારક શક્તિ પૂરતા પ્રમાણમાં મળતી નથી.
  • વિયાણના ર૪ કલાક બાદ ખીરું પીવડાવાથી વાછરડા ચેપ મુક્ત બની શકતા નથી.
  • વાછરડાને તેના જન્‍મ બાદ ૩ માસ સુધી ચેપ મુક્ત રાખવા માટે પૂરતા  પ્રમાણમાં ખીરૂ મળવું જોઈએ. ખીરું એ જિંદગીનો પાસપોર્ટ છે.
  • તાજા જન્મેલા વાછરડાને હાથ દ્રારા ખીરું પીવડાવાની ભલામણ કરવામાં આવે છે. જેથી ખેડૂત ને ખાતરી થાય છે કે દરેક વાછરડાએ કેટલું ખીરું પીધુ.
  • વાછરડાને ૧૦-૧૪ દિવસની ઉંમરે કરમિયાની દવા પીવડાવવી જોઈએ તથા ત્યારબાદ છ મહિના સુધી દરેક માસે ચાલુ રાખવી જોઈએ.
  • વાછરડાની ઉમર ત્રણ માસ ની થાય ત્યારે રસીકરણ માટે પશુ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.
  • જન્મના ૨-૮ આઠવાડિયા દરમિયાન વાછરડાના સારા વિકાસ અને ઝડપથી પુખ્તતા આવે તે માટે કાફ સ્ટાર્ટર આપવું જોઈએ. 
  • સરળ કાફ સ્ટાર્ટર નું ઉદાહરણ (અંદાજિત ટકાવારી)  મકાઈ – ૫૨%, જવ – ૨૦%, સોયાબીન મીલ – ૨૦%, મોલાસીસ – ૫%,  મીઠુ – ૦.૫%, ખનીજ તત્વો (મેકો તથા માઈકો )- ૧.૫%, વિટામિન – ૧% 

બ. વાછરડાના ઝાડા

  • ઝાડા થવાથી ઘણા પ્રમાણમાં પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ વાછરડામાંથી વહી જાય છે.
  • ઝાડા તથા ઝડપથી પ્રવાહી તથા આયન ગુમાવવાથી ખુબ ઝડપથી વાછરડાનું મૃત્યુ થાય છે.

વાછરડાના ઝાડાની સારવાર 

  • ગુમાવેલ પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ નું પ્રમાણ કરીથી પરત  જળવાવવું જોઈએ, આ માટે દરરોજ ૨-૪ લીટર ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ આપવું જોઈએ.
  • રોજિંદા ખોરાક ઉપરાંત ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ આપવું જોઈએ.
  • ઝાડાનું કારણ જાણીને તેની યોગ્ય સારવાર માટે શક્ય તેટલા  વહેલા પશુચિકીત્સકને બોલાવવા જોઈએ.

વાછરડાના ઝાડા અટકાવવા

  •  વાછરડામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિયાણ ના ૬ કલાકમાં ખીરું પીવડાવેલ છે તેની ખાતરી કરો.
  • વાછરડું જંતુમુક્ત તથા સૂકા વાતાવરણમાં રાખેલ છે તેની ખાતરી કરવી જોઈએ.
  • વાછરડાને ધાવવા માટે લઇ જતા પહેલા બાવલું ચોખ્ખુ છે તેની ખાતરી કરવી.

Ref .  NDDB