Khetidekho

કપાસ ની સાંઠી-પોષક તત્વ નો ભંડાર

કપાસ ની સાંઠી ના પોષક તત્વો
  • ખેડૂત મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે જે કપાસની સાંઠીઓને આપણે દીવાસળી ચાંપીએ છીએ અથવા જેને આપણે વેડફી નાખીએ છીએ, તે કેટલી કિંમતી છે? હકીકતમાં, કપાસની સાંઠી સેન્દ્રીય તત્વો અને પાકને જરૂરી પોષક તત્વોનો અમૂલ્ય ખજાનો છે.

 

  • જો આપણે કપાસની સાંઠીના બંધારણ વિષે વાત કરીએ, તો સર્વપ્રથમ પાક પોષણની પ્રાથમિક માહિતી વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જમીન પર ઉગાડવામાં આવતા દરેક પ્રકારના પાક, જેમ કે ધાન્ય, તેલીબીયા, કઠોળ, મરી-મસાલા, કળ, ફૂલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ 20 પોષક તત્વો આવશ્યક છે. આ પોષક તત્વો પુરતા અને સમતોલ પ્રમાણમાં સમયસર પાકને મળવા અત્યંત જરૂરી છે.

 

  • કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સીજન જેવા તત્વો ખૂબ જ વધુ જથ્થામાં જરૂરી છે અને છોડ/પાકના બંધારણમાં 85-92% સુધી રહેલા છે. કુદરતની મહેરથી આ તત્વો છોડ પાણી અને હવામાંથી સીધા જ મેળવી લે છે. કપાસના છોડમાં પોષકતત્વોનું પ્રમાણ (%) અને જમીનમાંથી પાક દ્વારા થતું અવશોષણની જાણકારી પણ મહત્વપૂર્ણ છે.

 

  • આપણે સેન્દ્રીય તત્વ અને બધા જ પોષકતત્વોનો સંતુલિત મુખ્ય સ્ત્રોત તરીકે છાણિયું ખાતર માનવું જોઈએ, જે બે દાયકા પહેલા આપણા વડવાઓ દ્વારા વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરાતું હતું. શહેરીકરણની વૃદ્ધિ અને પશુપાલનમાં ઘટાડાને કારણે છાણિયા ખાતરની ઉપલબ્ધતા અને વપરાશ બંનેમાં અત્યંત ઘટાડો થયો છે. આ સંજોગોમાં, વધુ ઉત્પાદન આપતા સુધારેલ અને સંકર બિયારણનો વપરાશ વધ્યો છે, જેના પરિણામે જમીનમાંથી પોષક તત્વોનું અવશોષણ વધુ થયું છે.
  • વર્તમાન સમયમાં, પાક પોષણ માવજત પર વિચાર કરતાં જોઈએ કે યુરિયા, ડીએપી, એનપીકે, અને એમોનિયમ સલ્ફેટ જેવા અમુક ઘન રાસાયણિક ખાતરોનો વપરાશ વધી રહ્યો છે. આ સાંદ્ર ખાતરોમાં પ્રમુખ પોષક તત્વો જેમ કે નાઈટ્રોજન અને ફોસ્ફોરસનો વપરાશ ખેડૂતો દ્વારા ખુબ જ વધી ગયો છે. છતાં પણ, જો આર્થિક પરિસ્થિતી સારી હોય તો પણ ખેડૂતો વધુ ખર્ચ કરીને એકર દીઠ વધુ ખાતર નાખે છે, પરિણામે અન્ય ગૌણ અને સૂક્ષ્મ તત્વોની ખામી ઉભી થાય છે અને પોષક તત્વોની અસંતુલિતતા ઉભી થાય છે.

 

  • આવા સંજોગોમાં, યોગ્ય માવજત કરીને પણ ઉત્પાદકતા ઘટે છે અને પાકની ગુણવત્તા નબળી થાય છે. તેથી, ખાસ ધ્યાન આપવું જોઈએ કે તમામ પાકોને જરૂરી અને સંતુલિત માત્રામાં પોષક તત્વો મળે છે. સાથે સાથે, ઓર્ગેનિક અવશેષો અથવા સ્રોતો ઉમેરવાથી છોડ જમીનમાં રહેલા પોષક તત્વોનું સરળતાથી અવશોષણ કરી શકે અને જમીનની ભૌતિક સ્થિતિ સુધરે. ઓર્ગેનિક તત્વો જમીનની પાણીની હોલ્ડિંગ ક્ષમતા, ડ્રેનેજ, અને એરેશન સુધારે છે, જે છોડના મૂળ વિકાસ માટે અનુકૂળ છે. તેમજ જરૂરી સૂક્ષ્મ જીવાણુઓની આહાર તરીકે પણ ઓર્ગેનિક તત્વો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

 

  • આથી, કુદરતી રીતે ઉત્પન્ન થયેલ કપાસની સાંકી જેવા ઓર્ગેનિક પદાર્થોનો વ્યવહારુ ઉપયોગ કરવાનું નિશ્ચિત કરવું જોઈએ, જેથી તેનાથી ખેતરની સુધારણા થાય અને ઉત્પાદનમાં પણ વધારો થાય.
વિચારવા જેવી વાત
  • ખેડૂત મિત્રોને એક વાત ધ્યાન આપવી જોઈએ કે કપાસના પાક દ્વારા જમીનમાંથી અવશોષિત થયેલા પોષક તત્વો છોડના તમામ ભાગોમાં, જેમ કે પર્ણો, ડાળીઓ અને અન્ય ભાગોમાં વહેંચાય છે.

 

  • સામાન્ય રીતે, કપાસ દ્વારા અવશોષિત પોષક તત્વોનો મોટો ભાગ સાંઠીમાં જ રહે છે. ખેડૂતો સામાન્યત: એકર દીઠ ₹4000-5000નું રાસાયણિક ખાતર વાપરે છે, જ્યારે સાંઠી  માં જ આશરે ₹2000-2500ના તત્વો રહે છે. ઉપરાંત, સલ્કર, પોટાશ અને સુક્ષ્મ તત્વો જેવા કે લોહ, જસત, કોપર, મોલીબ્લેડમ, બોરોન ઉપરાંત છોડમાં રહેલા 85-92% ઓર્ગેનિક તત્વો (કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન)ની કિંમત કરવાનું મહત્વ છે.

 

  • આપણે સાંઠીને બાળવાનો વિચાર ચાલુ રાખવો જોઈએ કે કાયદા મુજબ તેનું સદઉપયોગ કરીને ખેતરની તંદુરસ્તી માટે પ્રયાસ કરવો જોઈએ. આ રીતે આપણે મહત્તમ પાક ઉત્પાદન અને આર્થિક વળતર પણ મેળવી શકીશું.
1.રોટાવેટર / મોબાઇલ ચોપર દ્વારા જમીન માં સીધા દબાવવા
  • જ્યારે કપાસનું મધ્યમ વિકાસ થાય અને તેની વીણી પૂર્ણ થાય પછી, જો પિયતની સગવડ હોય અને જમીન રેતાળ કે ગોરાળુ હોય, તો ટ્રેકટર સંચાલિત રોટાવેટર અથવા મોબાઇલ ચોપર દ્વારા કપાસના પાકમાં ચલાવવાથી કપાસના સાંઠીના નાના ટુકડા થઈ જમીનમાં મિશ્ર થઈ જાય છે. આ પ્રક્રિયા કપાસના અવશેષોને નાના ભુકોમાં ફેરવી જમીન પર પથરાવી દે છે, જેને પછી દાંતી રાપ ચલાવી જમીનમાં સમાવવું જોઈએ.

 

  • રોટાવેટર અથવા મોબાઇલ ચોપર દ્વારા સાંઠીને જમીનમાં દબાવ્યા પછી, એકર દીઠ 25 કિલો યુરિયા અને બજારમાં મળતું કમ્પોસ્ટ કલ્ચર (2 કિલો/હેકટર)ને સારા કોહવાયેલ કમ્પોસ્ટ ખાતરમાં મિશ્ર કરી ખેતરમાં છાંટીને પછી ઓરવાણ કરવાથી સાંઠી ઝડપથી સડી જાય છે અને જમીનની ભૌતિક સ્થિતિ ભરભરી બની જાય છે. ત્યારબાદ લેવાના થતા પાકમાં નાઇટ્રોજન વધારે પ્રમાણમાં આપવો.

 

  • આ પદ્ધતિની મુશ્કેલી એ છે કે રોટાવેટર ચલાવવા માટે 50 કે તેથી વધુ હોર્સ પાવરવાળા ટ્રેકટરની જરૂરિયાત પડે છે અને બળતણ ખર્ચ વધુ આવે છે. કાળી જમીનમાં વધુ સમયથી પિયત ન આપેલ હોય તો રોટાવેટર ચલાવવું મુશ્કેલ છે, અને જો પિયત અને અન્ય જરૂરી પદાર્થો ન ઉમેરીએ તો સડવાની કિયા લાંબી ચાલે છે.
2. કમ્પોસ્ટ ખાતર બનાવવું : સચોટ ઉપાય
  • કપાસની સાંઠીને ખેતરમાંથી ઉપાડ્યા પછી, ટ્રેકટર અથવા ઇલેક્ટ્રિક મોટર સંચાલિત કટર (શ્રેડર)થી તેના ખૂબ જ નાના ટુકડા કરી શકાય છે. આ નાના ટુકડાઓને ખાડામાં વૈજ્ઞાનિક રીતે છાણ, યુરિયા, કમ્પોસ્ટ કલ્ચર, મરઘા-બતકાનું ખાતર અને કઠોળ પાકના અવશેષો સાથે મિશ્રિત કરીને ઉપયોગ કરી શકાય છે. પછી, પાણીથી સુવ્યવસ્થિત રીતે ભીંજવી, માટી અથવા પ્લાસ્ટિકથી હવાચુસ્ત રીતે પેક કરી શકાય છે.

 

  • એકાદ માસ પછી, ખાડાને વ્યવસ્થિત રીતે કેરવવું અને જૈવિક કલ્ચર, છાણ, જૂનું કમ્પોસ્ટ વગેરે મિશ્ર કરવું જોઈએ. સડવાની પ્રક્રિયાની ઝડપ પાણીના જથ્થા પર આધારિત છે. આ બધા સંકલિત પ્રયાસોથી સારું ગળતીયુ ખાતર બની શકે છે. આ ખાતરમાં રોક ફોસ્ફેટ, જીપ્સમ વગેરે ઉમેરી સાંદ્રતામાં સુધારી શકાય છે. એક ટન ખાતરમાંથી 40-50 કિલો પોષક તત્વોવાળું ખાતર બનાવી શકાય છે.
આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…

Related Blogs